હિન્દ છોડો આંદોલનની 77 મી વર્ષગાંઠ પર ભારતનાં મહામહિમ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનિત કર્યા હતા. દેશની આઝાદીના લડવૈયા એવા આ સ્વતંત્રતા સેનાનીઓ કે જેમણે આઝાદી ખાતર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું તેના સન્માન પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ, PM મોદી, ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંઘ, ગૃહ પ્રધાન અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓ.પી. બિરલા સહિતના મહાનુુભવો ઉપસ્થિત રહ્યા હતા.
ભરાતની આઝાદીનાં આ લડવૈયાઓનાં સન્મન સમારોહમાં પણ લાગણી વિભોર દ્રશ્યો જોવામા આવ્યા હતા. હિન્દ છોડો આંદોલનની 77 મી વર્ષગાંઠ પર યોજાયેલા આ કાર્યક્રમમાં જ્યારે સ્વતંત્રસેનાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા ત્યારે PM બે હાથ જોડી ભારતનાં ઘડવૈયાઓને નમન કરી રહ્યા હતા, તો સ્વતંત્રસેનાનીઓ દ્વારા PM મોદીનાં માથા પર હાથ મુકી આશિર્વાદ આપતા દ્રશ્યોથી ચારે તરફ લાગણી વિભોરતા વ્યાપી ગઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.