બાંગ્લાદેશમાં હવે મહિલાઓએ લગ્ન સમયે રજિસ્ટ્રેશન ફોર્મમાં તેમની વર્જીનીટી બતાવી નહીં પડે. હવે મહિલાઓ વર્જીનીટીના બદલે અપરિણીત લખાશે. રજિસ્ટ્રેશન ફોર્મની શરૂઆતમાં મહિલાઓને એ જણાવ્યુ પડતું હતું કે તેઓ વર્જિન છે કે નહીં? પરંતુ હવે આ ફોર્મમાં પરિવર્તન એ આવશે કે મહિલાઓ વર્જિન લખવાને બદલે હવે અપરિણીત શબ્દનો ઉપયોગ કરશે.
આ પહેલા મહિલાઓને લગ્ન માટે ત્રણ વિકલ્પો મળતા હતા, જેમાં વર્જિન, વિધવા અને ડિવોર્સી શામેલ છે. વર્જિનિટીના ઉલ્લેખનો વિરોધ કરતા જૂથના વકીલ આયલનુન નાહરે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય બાદ મહિલાઓને સમાનતા પ્રાપ્ત કરવા માટે વધુ માર્ગ ખોલવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષથી લોકો નોંધણી ફોર્મમાં પુછાયેલી વર્જિન સામે વિરોધ કરી રહ્યા હતા. આનાથી મહિલાઓની પ્રાઈવેશીનું પણ ઉલ્લંઘન થાય છે. ફક્ત મહિલાઓ જ નહીં, પુરુષોએ પણ આવા ફોર્મ ભરવા પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.