કરવામાં આવશે નહીં.
તુર્કીના આક્રમણને કારણે 1,00,000 લોકો સીરિયાના સરહદી વિસ્તારોમાંથી પોતાનાં ઘર, દુકાનો અને મિલકતો છોડીને સ્થળાંતર કરી ચૂક્યા છે. નિષ્ણાંતો કહે છે કે, આ સ્થિતિમાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ફરી એકવાર સીરિયા પર પ્રભુત્વ મેળવી શકે છે. આ સ્થિતિનો લાભ ઉઠાવતા આતંકવાદી સંગઠન ફરી એકવાર માથું ઉંચકી શકે છે.
દરમિયાન, ફ્રાન્સે તુર્કીની સૈન્ય કાર્યવાહીનો સખત વિરોધ કર્યો છે અને તેમાં શસ્ત્રોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ફ્રાન્સના વિદેશ અને સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે અમે આ પ્રતિબંધ લાદ્યો છે કારણ કે તુર્કી પણ સીરિયામાં તેની કાર્યવાહી માટે આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. એટલું જ નહીં, સોમવારે યુરોપિયન દેશોના વિદેશ પ્રધાનોની એક બેઠક પણ છે, જેમાં યુરોપિયન યુનિયન દ્વારા તુર્કીને લઈને કોઈપણ નિર્ણય લઈ શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.