કેવડિયા કોલોનીમાં નર્મદા મૈયાની શાસ્ત્રોક્ત વિધીથી પૂજા આરતી કરી હતી. તેમના જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે તેઓ આગલા દિવસે 16 સપ્ટેમ્બરે રાત્રે 9.30 વાગ્યે ગુજરાત આવ્યા હતા.
પીએમ મોદી કેટલાય વર્ષોથી સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવાના પક્ષમાં હતા. જે અનુસાર નર્મદા ડેમની ઊંચાઈ વધારીને 138.68 મીટર કરવામાં આવી છે.
.
10 લાખ ખેડૂતોને લાભ મળશે, અને કેટલાક ગામડાઓમાં પીવાનું પાણી નથી, તેવા 4 કરોડ લોકોને પીવાનું પાણી પહોંચાડાશે. નર્મદા ડેમથી પ્રતિવર્ષ 100 કરોડ યુનિટ જળવિજળીનું ઉત્પાદન થશે.