એરફોર્સના એક માત્ર માર્શલ અને ૧૯૬૫ ભારત- પાકિસ્તાન યુદ્ધના હિરો અર્જન સિંહને સોમવારે દિલ્હીના બરાર ચોકમાં તમામ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. એર માર્શલના સન્માનમાં ૧૭ તોપો અને ફ્લાઈ પાસ્ટની સલામી આપવામાં આવી. તેમજ આજે તમામ સરકારી ઈમારતો પર તિરંગો અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.
એર માર્શલના અંતિમ વિદાય પ્રસંગે રક્ષામંત્રી નિર્મલા સીતારમ, પૂર્વ પીએમ મનમોહન સિંહ અને સેનાના ત્રણેય પાંખોના વડા હાજર રહ્યાં હતાં.
ઉલ્લેખનિય છે કે, અર્જન સિંહનું શનિવારે સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં નિધન થયું હતું. રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતાં.