Not Set/ જાણો, નરોડા હત્યા કેસમાં અમિત શાહે કોર્ટમાં શું કહ્યું ?

૨૦૦૨ ના નરોડા ગામ હત્યા કેસમાં બચાવ પક્ષના સાક્ષી તરીકે જુબાની આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમવારે અમદાવાદની સ્પે.કોર્ટમાં હાજર થયા હતા. હત્યા કેસમાં આરોપી માયાબેન કોડનાનીના સાક્ષી તરીકે અમિત શાહે જણાવ્યું,  હું વિધાનસભાથી સોલા સિવિલ હોસ્પિટલ ગયો હતો. એ સમયે માયાબેન વિધાનસભામાં હાજર હતાં. સોલા મારો મતવિસ્તાર હોવાથી ગયો હતો. ત્યાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલતી […]

Gujarat
amit shah in kolkata d48eb564 978e 11e7 baba 4acd69b87684 જાણો, નરોડા હત્યા કેસમાં અમિત શાહે કોર્ટમાં શું કહ્યું ?

૨૦૦૨ ના નરોડા ગામ હત્યા કેસમાં બચાવ પક્ષના સાક્ષી તરીકે જુબાની આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમવારે અમદાવાદની સ્પે.કોર્ટમાં હાજર થયા હતા. હત્યા કેસમાં આરોપી માયાબેન કોડનાનીના સાક્ષી તરીકે અમિત શાહે જણાવ્યું,  હું વિધાનસભાથી સોલા સિવિલ હોસ્પિટલ ગયો હતો. એ સમયે માયાબેન વિધાનસભામાં હાજર હતાં. સોલા મારો મતવિસ્તાર હોવાથી ગયો હતો. ત્યાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલતી હતી. હોસ્પિટલથી બહાર નીકળતો હતો ત્યારે માયાબેન આવ્યા હતા.

download 17 1 જાણો, નરોડા હત્યા કેસમાં અમિત શાહે કોર્ટમાં શું કહ્યું ?

બીજી બાજુ અમિત શાહ કોર્ટમાં હાજર રહેવાના હોઈ  કોર્ટ સંકુલ પરિસરની બહાર સુરક્ષાનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, નરોડા ગામ હત્યા કેસમાં આરોપી અને પૂર્વ મંત્રી માયાબેન કોડનાની તરફથી સીઆરપીસીની કલમ 233(3) મુજબ સ્પેશયલ કોર્ટમાં અરજી કરી હતી.જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સહિત 14 વ્યકિતઓને બચાવ પક્ષના સાક્ષી તરીકે સમન્સ ઈસ્યુ કરવા રજૂઆત કરી હતી. તેના ભાગરૂપે અમિત શાહ કોર્ટમાં હાજર થયા હતા.