સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમમાં 1100 મીટરનો ચુંદડી મનોરથ યોજાયો હતો. જેના ભાગરૂપે સ્થાનિક સોમપૂરા બ્રાહ્મણ દ્વારા ત્રિવેણી માતાજીને 1100 મીટરની ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. ચુંદડી મનોરથ સાથે માતાજીની મહા આરતી અને સવા લાખ વાટોનો મોટો દીવડો સંગમમાં પ્રજ્વલિત કરાયો હતો. નર્મદા માતાજીને પરંપરાગત રીતે ચુંદડી મનોરથનું ખાસ મહત્વ છે. 1100 મીટરની ચુંદડી મનોરથ કરવામાં 300 જેટલી સાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કાર્તિક પુરણીમા એટલે ત્રીપુરારી પુનમ ના રોજ ભગવાન કરુષણએ પોતાના યાદવકુળ સાથે પવીત્ર ત્રિવેણી સંગમ માં દેહોત્સર્ગ કરવામાં આવેલ તેજ પવીત્ર સંગમ એટલે ત્રિવેણી સંગમ જ્યાં પ્રથમ વખત આજે સ્થાનિક સોમપૂરા બ્રાહ્મણ સમાજ દ્વારા 1100 મીટર ની ચુંદડીનો મનોરથ કરવામાં આવ્યો છે. જેમા 300 જેટલી સાડી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રિવેણી નદી ના આ કિનારા થી લઇ સામે ના કીનારા સુધી બે નાવ ની મદદ થી ચુંદડી ઓઢાડવામાં આવી હતી.
સોમપૂરા બ્રાહ્મણ સમાજ ના સભ્યો સહીત સોમનાથ ટ્રસ્ટ ના અધીકારી ગણે ત્રિવેણી માતાજી ની પ્રથમ પુજા વીધી મહાઆરતી કરી ચુંદડી મનોરથ કરયો હતો.
નર્મદા માતાજી ને પરંપરાગત રીતે આજના દિવસે ચુંદડી મનોરથ નું ખાસ મહત્વ છે જેને અનુલક્ષી ને આજે સ્થાનિક ભુદેવો દ્વારા ત્રિવેણી માતાજી ને પણ ચુંદડી ઓઢાડવામા આવી છે અને દીપ દાન અને વસ્ત્ર દાન થી શાસ્ત્ર અનુસાર પુણ્ય ની પ્રાપ્તિ થાય અને રોગ થી મુક્તિ મળે છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.