માર્ગ અકસ્માતનું પ્રમાણ ગુજરાતમાં દિવસેને દિવસે વધતું જોવામાં આવી રહ્યું છે. વાંક કોઇને પણ હોય, ઘણીવાર તો કોઇનો વાંક ન હોવા છતા પણ અકસ્માત સર્જાતા હોય છે. અને કદાચ માટે જ આને અકસ્માત કહેવામાં આવે છે. આવો જ એક કિસ્સો અમરેલીથી સામે આવી રહ્યો છે. અમરેલીમાં કાર પલટી મારી જતાં બે લોકોનાં મોત થયા છે, તો બે લોકો ગંભીર રીતે ઘવાયા હોવાનું સામે આવી રહ્યું છે.
અમરાલીનાં સાવરકુંડલાના જેસર રોડ પર આ અકસ્માત સર્જાયો હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. મોત આમતો કાયમી રીતે દુખદ જ વાત છે પણ અહીં વધુ દુખદ વાતએ છે કે આ અકસ્માતમાં 2 સગા ભાઈઓનાં મોત નિપજ્યા છે. બગદાણાથી સાવરકુંડલા પરતા આવતા જેસર રોડ પાસે અકસ્માતે કાર પલટી ખાઇ જતા બે સગાભાઇઓનાં મોત નિપજ્યા છે તો આન્ય બે ઘાયલ થયા છે. જો કે, ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. કાર કેવી રીતે પલટી મારી ગઇ તેની વિગતો હાલ જાણી શકાય નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.