નિત્યાનંદન આશ્રમ વિવાદમાં હવે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે પણ જંપલાવી દીધું છે. શક્તિસિંહ ગોહિલે ટ્વિટ દ્વારા સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં સીધો જ આરોપ મૂક્યો હતો કે, સમગ્ર વિવાદમાં ગુજરાતના એક સિનીયર આઇએએસ અધિકારીની સંડોવણી રહેલી છે.
શક્તિસિંહે ટ્વિટમાં જણાવ્યું છે કે આ જ સિનીયર આઇએએસ અધિકારી નિત્યાનંદને બચાવી રહ્યા છે અને તેઓ પોતે પણ નિત્યાનંદનાં ભક્ત હોવાને નાતે હવે ડીપીએસ સ્કૂલ મેનેજમેન્ટને બચાવી રહ્યા છે.
શક્તિસિંહે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતનાં પત્રકાર મિત્રો વિવાદમાં ઉંડાણપૂર્વક ઉતરીને વધુ તથ્યો બહાર લાવશે. મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં શક્તિસિંહે જણાવ્યું કે નિત્યાનંદ વિવાદની તપસ કરતાં એક પોલીસ અધિકારીએ સમગ્ર માહિતી તેમને આપી છે.
જુઓ શક્તિસિંહ ગોહિલનાં આક્ષેપો સાથેનો સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર………..
આપણ જુઓ અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર………..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.