સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર ચાર માળની ઈમારતનો સ્લેબ ધરાસાઈ થયો છે. નીતા એસ્ટેટ નામની બિલ્ડીંગનો સ્લેબ પડી ભાંગ્યો છે. સ્લેબ ધરાશાયી થતાં કેટલાંક લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહીછે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. અને બચાવ કામગીરી શરૂકરી હતી.
ફાયર વિભાગ દવારા રેસ્ક્યુ કરીને 3 વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે બાકીના બેની સારવાર ચાલી રહી છે.
ફાયરબ્રિગેડના ઓફિસરે જણાવ્યું હતું કે, આ ઘટનામાં મૂળ ઉત્તરપ્રદેશના ફતેહપુર સાંઈપુરના રહેવાસી શિવ નરેશ ભોલે ઉ.વ.આ.21નું મોત નીપજ્યું હતું. આ ઈમારતમાં જરીનું કારખાનું ચાલતું હતું, અત્રે ઈમારતના કાટમાળમાં ત્રણ લોકો ફસાયા હતા જેમનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે.
ફાયરબ્રિગેડ દ્વારા જર્જરીત ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારના આ બિલ્ડીંગને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. આ બિલ્ડીંગનો કોર્ટ કેસ ચાલતો હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની
નવી મોબાઇલ એપ્લિકેશન.