રાજ્યમાં ગુનેગારીનો ગ્રાફ આસમાને પહોંચ્યો છે. રાજ્યભરમાં છાસ વારે ખુન, ફાયરિંગ, રેપ, મારામારી, હુમલા જેવા મામલા બન્યા જ કરે છે. હદ તો ત્યારે થઇ ગઇ છે કે શાળામાં ભણતા વિદ્યાર્થિ પણ હવે બીજા વિદ્યાર્થી પર નજીવી બાબતે છરી જેવા ઘાતક હથિયાર વડે હુમલા કરવા મંડ્યા છે. વિદ્યાર્થીએ વિદ્યાર્થી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો એ નાની વાત બિલકુલ નથી. કારણ કે આ ઉંમરે આ માનસિકતા સમાજ માટે ખતરાની ઘંટડી નહીં પણ સાયરન કહી શકાય.
સુરતના લીંબાયતના ગુનેગારીનો ગ્રાફ એટલી હદે વધ્યો છે કે નવાગામ ખાતે આવેલી સર્વજનીક સ્કૂલની આ ઘટના છે કે જ્યાં ધો.10 ના એક વિદ્યાર્થીએ ધો.12 ના વિદ્યાર્થીને સ્કૂલની બહાર બોલાવી ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો . પુસ્તક ચોરી કરી હોવાની બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો આજે તેની અદાવત રાખી છરી વાટે હુમલો કરવામાં આવ્યો હતો. હુંમલો કરનાર વિદ્યાર્થી સાથે અન્ય 3 લોકો પણ હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીનાં પગ પર ચપ્પુ વડે હુમલો કરતા વિદ્યાર્થી લોહી લુહાણ થઈ ગયો હતો અને તે જ હાલતમાં પ્રિન્સિપાલની ઓફિસમાં પહોંચ્યો હતો તો બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં આ પ્રકારની માનસિકતા જોવા મળતા ચકચાર મચી જવા પામી છે જે વિદ્યાર્થીના હાથમાં પુસ્તક હોવા જોઈએ તે વિદ્યાર્થીના હાથમાં ચપ્પુ આવી જાય છે અને તે બીજા વિધ્યાર્થી પર જીવલેણ હુમલો પણ કરી દે છે ત્યારે આ ઘટનાને લઈને અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.