![કોરોનાનો કકડાટ/ અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારો; 5 ટિયર ગેસ સેલ છોડાતા સમગ્ર વિસ્તારમાં ભારેલ અગ્નીની સ્થિતિ 3 55f2a75fd2067522ae471aecb0db724a કોરોનાનો કકડાટ/ અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારો; 5 ટિયર ગેસ સેલ છોડાતા સમગ્ર વિસ્તારમાં ભારેલ અગ્નીની સ્થિતિ](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/05/55f2a75fd2067522ae471aecb0db724a.jpg)
અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન અમલી કરી દેવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદનાં શાહપુર વિસ્તારમાં પોલીસ દ્વારા લોકો પાસે લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસદ દ્વારા મામલો વધુ સંગીન બનવાનું જોવામાં આવતા ભીડને કાબુમાં લેવા માટે 5 સેલ ટિયર ગેસના છોડવા સુધીની નોબત આવી ગઇ હતી. પોલીસ પર રસ્તા પર ઉતરી આવેલા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા સમગ્ર વિસ્તાર સહિત શહેરનાં વાતાવરણમાં ગભરાહટ ફેલાઇ જવા પામી છે. સમગ્ર ઘટનાના પગલે પોલાસના ઉચ્ચ અધિકારીએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આવો જોઇએ અમદાવાદનાં ઉહાપાની સમગ્ર ઘટના આ રિપોર્ટમાં….
જુઓ અમદાવાદમાં શું મચી બબાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન