દેશમાં એક તરફ કોરોનાએ કહેર વરસાવ્યો છે, તો બીજી તરફ ચક્રવાતી તોફાન એક ભયાનક સ્વરૂપ ધારણ કરી મોટુ નુકસાન પહોંચાડી શકે છે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં આશરે 1000 કિ.મી.નાં અંતરે આવતા 12 કલાકમાં ચક્રવાત ઝડપથી વધવાની ધારણા છે. વળી તે આગામી 24 કલાકમાં તીવ્ર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે. દરમિયાન, ઇસ્ટર્ન નેવલ કમાન્ડ (ઇએનસી) ને પણ એલર્ટ થઇ ગઇ છે.
ઓડિશા ચક્રવાત તોફાન ‘એમ્ફાન‘ ને લઇને પી.કે. જેના, સ્પ્લિટ રીલીફ કમિશનરે જણાવ્યુ છે કે, ચક્રવાતી વાવાઝોડાને કારણે બાલાસોર, ભદ્રક, જાજપુર, ગંજામ પ્રભાવિત થઈ શકે છે. મુખ્ય સચિવે કેન્દ્રીય મંત્રીમંડળ, સેસીને વિનંતી કરી છે કે દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ‘શ્રમિક સ્પેશિયલ‘ ટ્રેનોને 3 દિવસ માટે સ્થગિત રાખવા વિચારણા કરવામાં આવે.
Balasore, Bhadrak, Jajpur, Ganjam may be affected due to the cyclonic storm.The Chief Secy has requested Union Cabinet Secy to consider suspending ‘shramik special’ trains from May18 for 3 days in the coastal areas:PK Jena,Spl Relief Commissioner,Odisha on cyclonic Storm ‘AMPHAN’ pic.twitter.com/4kAz1vBtss
— ANI (@ANI) May 17, 2020
વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળનાં જહાજો એલર્ટ મોડમાં છે. તેઓ તબીબી સેવા અને લોકોની તમામ પ્રકારની સહાય માટે તૈનાત છે. આ જહાજોમાં મોટી સંખ્યામાં ડાઇવર્સ, ડૉક્ટર્સ અને રાહત પુરવઠો તૈયાર છે. તેમાં ખાદ્ય વસ્તુઓ, તંબુ, કપડાં, દવાઓ, ધાબળા વગેરેનો પૂરતા પ્રમાણમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં બચાવ અને રાહત પ્રયાસોને વેગ આપવા માટે જેમિની બોટ્સ અને તબીબી ટીમો સાથે બચાવ ટીમો પણ તૈયાર છે.
આપને જણાવી દઈએ કે, ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ એક ચક્રવાત તોફાનની આગાહી કરી છે. ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ, બંગાળની ખાડી ઉપર અને દક્ષિણ આંદામાન સમુદ્રની નજીક એક નીચા દબાણનો વિસ્તાર રચાઇ રહ્યો છે, જેના કારણે ઓડિશા અને આસપાસનાં વિસ્તારોમાં ચક્રવાતી તોફાન એમ્ફાનની સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.