ગુજરાતમાં ટ્રેનોની ગોબા જાળી વચ્ચે શ્રમિકો માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. આજથી ટ્રેનમાં શ્રમિકો વિનામૂલ્યે મુસાફરી કરશે. જી હા, આજે સુરતથી 30 શ્રમિક ટ્રેન રવાના થશે. સુરતથી ઉત્તર ભારત તરફ જવા લાંબી લાઈન જોવામાં આવી રહી છે. ત્યારે આ સમાચારથી શ્રમિકોમાં આનંદની લહેર અનુભવાઇ હોવાનું સામે આવી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશ તરફ 14 ટ્રેન શ્રમિકોને લઈને જશે. આ ટ્રેનોમાં બિહારની 8, ઝરખંડની 2, ઓરિસ્સાની 6 ટ્રેન હશે. જ્યારે અત્યાર સુધી 4 લાખથી વધુ શ્રમિકોને પોતાનાં માદરે વતન મોકલાયા હોવાનું નોંધવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….