Not Set/ વર્ષ1985માં કોન્સ્ટેબલ હત્યા કેસમાં ભાજપના આ નેતાઓને કોર્ટે નિર્દોષ છોડી મુક્યા

અમદાવાદ, અમદાવાદના 1985માં થયેલા રમખાણો દરમિયાન કોન્સ્ટેબલ લક્ષ્મણ દેસાઇ હત્યા કેસમાં ભાજપ સરકારના પુર્વ રક્ષામંત્રી હરિન પાઠક, ભાજપ રાજ્ય સરકારના પુર્વ મંત્રી સ્વ.અશોક ભટ્ટ અને કોર્પોરેટર મયૂર દવે સહિત 5 લોકોને સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 1985માં અમદાવાદમાં રમખાણો ફાટી નિકળ્યા હતાં. એ વખતે ખાડીયામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ દેસાઇને કેટલાક લોકોએ […]

Ahmedabad Gujarat
city civil court વર્ષ1985માં કોન્સ્ટેબલ હત્યા કેસમાં ભાજપના આ નેતાઓને કોર્ટે નિર્દોષ છોડી મુક્યા

અમદાવાદ,

અમદાવાદના 1985માં થયેલા રમખાણો દરમિયાન કોન્સ્ટેબલ લક્ષ્મણ દેસાઇ હત્યા કેસમાં ભાજપ સરકારના પુર્વ રક્ષામંત્રી હરિન પાઠક, ભાજપ રાજ્ય સરકારના પુર્વ મંત્રી સ્વ.અશોક ભટ્ટ અને કોર્પોરેટર મયૂર દવે સહિત 5 લોકોને સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

વર્ષ 1985માં અમદાવાદમાં રમખાણો ફાટી નિકળ્યા હતાં. એ વખતે ખાડીયામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ દેસાઇને કેટલાક લોકોએ તિક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી હતી. આ હત્યાના આરોપસર ભાજપના નેતા અશોક ભટ્ટ, હરિન પાઠક, મયુર દવે, કિરણ શાહ સહિત ૭  લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી.

સેશન કોર્ટે મયુર દવે, મધુકર વ્યાસ અને તેમના ભાઈ ધ્રુવકુમાર વ્યાસ, વિજય શાહ, કિરણ શાહ, સહિત કુલ ૫ લોકોને આજે ગુનો સાબિત થાય એવા પુરાવા ન હોવાના કારણે નિર્દોષ છોડી મુક્યા હતા.

જો કે આ કેસનો ટ્રાયલ ચલાવવા અંગે સુપ્રિમ કોર્ટે સ્ટે મુક્યો હતો.પરંતું  સુપ્રીમ કોર્ટે સ્ટે ઉઠાવતા આ કેસ સશન્સ કોર્ટમાં ચાલ્યો હતો.

આ હત્યા કેસમાં પૂર્વ સાંસદ હરિન પાઠક, પૂર્વ આરોગ્યમંત્રી સ્વ.અશોક ભટ્ટ, મયૂર દવે, મધુકર, વિજય શાહ, કિરણ શાહ સહિત આઠ લોકો સામે ફરિયાદ કરાઈ હતી. ત્યારબાદ આ કેસ સેશન્સ કોર્ટમાં આવ્યો હતો. જો કે, મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા કેસ પર સ્ટે આવી ગયો હતો.

બીજી તરફ એપ્રિલ 2017માં સ્ટે ઉઠાવી લેતા કોર્ટે ભાજપના કોર્પોરેટર મયૂર દવે, કિરણ શાહ સહિત પાંચ આરોપીઓને હાજર રહેવા માટે જામીન લાયક વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ કેસની સુનાવણી શરૂ કરાઈ હતી.

આ કેસમાં આરોપીઓ તરફે એડવોકેટ ચેતન શાહે એવી દલીલ કરી હતી કે, આખો કેસ પુરવાર થાય તેટલા પુરાવા નથી, કોઇ સાક્ષીના નિવેદન નથી, અગાઉ કોર્ટે પુરાવાને ધ્યાને લઇ બે આરોપીઓને ડિસ્ચાર્જ કરી દીધા છે, ત્યારે આ આરોપીઓ સામે કેસ સાબિત થતો નથી ત્યારે કોર્ટે નિર્દોષ છોડી મુકવા જોઇએ.

આ કેસના બીજા આરોપી ભાજપના નેતા અશોક ભટ્ટનું અવસાન થતાં તેમની સામેનો કેસ એબેટ કરવામાં આવ્યો હતો