રાજકોટમાં હત્યા, લુંટ અને આત્મહત્યા જેવા બનાવો જાણે સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે.આવામાં રાજકોટમાં વધુ એક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં પિતા દીકરાને ફરવા જવાની ના પડતા. દીકરાને લાગી આવતા ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર શહેરનાં કુવાડવા ગામની જયવીર ધર્મેશભાઇ સોલંકીને તહેવારોની રજા હોવાથી મિત્રો સાથે ફરવા જવા માટે પોતાનાં ઘરે વાત કરી હતી. જો કે પિતાએ ના પાડતા ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું હતું. જો કે પિતાએ કોરોનાની સ્થિતી ગંભીર હોવાના કારણે દીકરાને ફરવા જવા માટેની ના પાડી હતી. જો કે પુત્રએ આપઘાત કરતા પરિવાર પર આભ ફાટી પડ્યુ છે. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.