કોરોનાનાં યથાવત કહેર વચ્ચે પણ 65 દિવસથી ચાલી રહેલા લાંબા લોકડાઉનમાં હવે હળવાસ અનિવાર્ય બનતી દેખાય છે ત્યારે સુરતમાં કોરોના મહામારીમાં 54 જેટલા વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવરી લેવાયા હતા. જેમાં ઘણા દિવસો થી કેસોનો ઘટાડો થતા હવે સુરત મહાનગરપાલીકા દ્રારા ઓછા કેસો વાળા 54 વિસ્તારો માટે આજે મહાનગર પાલિકાના કમિશનર, મેયર સહીતના અધિકારીઓ પદાધિકારીઓની બેઠકમાં શહેરના રાંદેર, ગોરાટ વિસ્તારોમાં લોકડાઉન હળવું કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં છુટછાટ આપવાની વાત છે પરંતુ કોરોના વાયરસનો નાશ થયો નથી કે કોરોના ચાલ્યો ગયો નથી. નથી કોરોનાની કોઇ ઓફિસિયલ રસી શોધાઇ, માટે સરકાર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શીકાનુ પાલન કરવુ અને જરુરી ન હોય તો ઘરની બહાર નિકળવાનું ટાળવુ અનિવાર્ય છે. સાવચેત રહે, સુરક્ષીત રહે અને સમાજ અને પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરો આ આપણુ પણ કામ છે ફક્ત સરકારનું જ કામ નથી.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….