દેશભરમાં લોકડાઉન – 5.0 સાથે એનલોક – 1.0 અમલી થઇ ચૂક્યું છે અને આંતરરાજ્ય પરિવહ પણ હાલ શક્ય બન્યું છે, ત્યારે મુંબઈથી શ્રમિક ટ્રેન પાલનપુર આવી પહોંચી છે. લગભગ 1400 થી વધુ લોકોને લઈને ટ્રેન પાલનપુર પહોંચતા, પાલનપુર રેલવે સ્ટેશન પર તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ કરાયું હતું.
આરોગ્ય અને પોલીસની ટીમો દ્વારા તમામ યાત્રીકોની તેમજ તમામની સુરક્ષાને ધ્યાનમાં રાખી માર્ગદર્શીકા પ્રમાણે 41 ST બસો મારફતે જેતે તમામ મુસાફરોને તાલુકા મથકે રવાના કરવામાં આવ્યા હતા. મુંબઈથી આવેલા લોકોને માર્ગદર્શીકા પ્રમાણે હાલ ક્વોરન્ટાઇન કરાશે અને નિયત સમય પછી જ તેમને રજા આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….