આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને રાહત મળતી રહેશે. સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમનાં જામીન વિરુદ્ધ સીબીઆઈની સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. સીબીઆઈની અરજી ફગાવતા જસ્ટિસ આર બાનુમતિની ખંડપીઠે કોર્ટમાં સુનાવણીની માંગને પણ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે જામીન આપવાના નિર્ણયમાં કોઈ ખામી જોવા મળી નથી.
આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટે આઈએનએક્સ મીડિયાને લગતા સીબીઆઈ અને ઇડી કેસોમાં ચિદમ્બરમને જામીન આપ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની પુનર્વિચાર અરજી પણ મે મહિનામાં રદ્દ કરવામાં આવી હતી. પી.ચિદમ્બરમને જામીન આપવાના નિર્ણય પર પુનર્વિચારણા કરવા સીબીઆઈએ સર્વોચ્ચ અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો. સીબીઆઈ ઈચ્છતી હતી કે ચિદમ્બરમને જામીન આપવા અંગેનાં નિર્ણય પર ટોચની અદાલત પુનઃવિચારણા કરે.
22 ઓક્ટોબરે સીબીઆઈ કેસમાં તેમને જામીન આપતા સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીની તે દલીલને ફગાવી દીધી હતી કે તે એક ફ્લાઇટ જોખમ છે. બાદમાં ડિસેમ્બરમાં, ટોચની અદાલતે ચિદમ્બરમને જ આઈએનએક્સ મીડિયા કેસમાં ઇડી કેસમાં જામીન આપ્યા હતા. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ચિદમ્બરમે તપાસમાં ભાગ લીધો છે અને તેઓ આગળ ચાલુ રહેશે. આ મામલે પ્રેસ સાથે વાત નહીં કરે અને વિદેશ જશે નહીં. તેમને પુરાવા સાથે ચેડા કરવા અથવા સાક્ષીઓનો સંપર્ક કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.