વારણસી સહિતના દેશના 30 એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. આ ધમકી ભર્યો મેલ લાલબાહદુર શાસ્ત્રી એરપોર્ટ વારાણસીના ડાયરે્કટરને મળ્યો હતો. ત્યાર બાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કર્યુ છે. આ ઘટનાને લઇને પોલીસ અને CISFના અધિકારીઓની તાત્લીક ઘોરણે બેઠક મળી હતી.
એરપોર્ટના ઓથોરિટિએ સુરક્ષા એંજેન્સીઓને આ ઘટનાના વિશે સુચના આપી છે. હવે તપાસ એજન્સી તપાસ કરી રહી છે કે આ મેલ કોણે મોકલ્યો છે. અધિકારીઓની બેઠક બાદ એરપોર્ટ કેમ્પસ અને પાસેના કેટલાક ગ્રામિણ વીસ્તારમાં સુરક્ષા દળો દ્વારા રૂટ માર્ચ કરવામાં આવ્યુ હતુ.સાથે જ અઘિકારીઓેએ ગામના લોકોને સુચના પણ આપી હતી કે કોઇ પણ શંકાશીલ વ્યક્તિ નજરમાં આવે તો તાત્કાલીક પોલીસને જાણ કરજો.
એજન્સીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ કોઈ પાગલનુ કામ હોઈ શકે છે. આ અંગે CISF કમાન્ડન્ટ અજય કુમારે કહ્યું કે આ કોઈ પાગલનું કામ લાગે છે, પરંતુ અમે એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળોની તૈનાતી વધારી દીધી છે.
આ પણ વાંચો:બેન્જામિન નેતન્યાહુ માટે મુશ્કેલી વધી, ICC ઈશ્યુ કરી શકે છે ધરપકડ વોરંટ
આ પણ વાંચો:ઈલોન મસ્કની ચીન મુલાકાત સફળ સાબિત થઈ, ટેસ્લા પર પ્રતિબંધ હટાવાયા
આ પણ વાંચો:કોવિશિલ્ડ રસી જોખમકારક! એસ્ટ્રાઝેનેકાએ કબૂલ્યું, ‘રસીથી આડઅસર થઈ’