કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક લેખમાં હિંદુ ધર્મ પર પોતાનો વિચાર વ્યક્ત કર્યો છે. રાહુલ લખે છે કે ‘સાચો હિંદુ ધર્મ દરેક પ્રકારના પૂર્વગ્રહ અને ભયથી મુક્ત થઈને સત્યના મહાસાગરમાં ભળી જવાનો છે.’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X'(પહેલા ટ્વિટર પર) પર પોતાનો લેખ શેર કર્યો હતો. જેમાં રાહુલ ગાંધી કહે છે કે ‘સત્ય અને અહિંસા જ એકમાત્ર રસ્તો છે.’ તેઓ લખે છે કે ‘નબળાઓની રક્ષા કરવી એ હિંદુનો ધર્મ છે.’
રાહુલ કહે છે કે, હિંદુ ધર્મ અમુક માન્યતાઓ સુધી સીમિત ન હોઈ શકે અને ન તો કોઈ ‘રાષ્ટ્ર’ કે ભૌગોલિક વિસ્તાર પૂરતો સીમિત હોઈ શકે. રાહુલે પોતાના લેખમાં કહ્યું હતું કે ‘હિંદુ ધર્મ માત્ર કેટલીક સાંસ્કૃતિક માન્યતાઓ સુધી મર્યાદિત છે તેવું કહેવું અલ્પોક્તિ હશે. તેને કોઈ ચોક્કસ રાષ્ટ્ર કે પ્રદેશ સાથે બાંધવું પણ તેનું અપમાન છે.
હિંદુ ધર્મ પર રાહુલ ગાંધીનો સંપૂર્ણ લેખ વાંચો….
આ પણ વાંચો: Pakistan/ મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પુત્રની હત્યા? 4 દિવસથી હતો ગુમ
આ પણ વાંચો: Balochistan Blast Case/ પાકિસ્તાનના ગૃહમંત્રીએ ભારતની ગુપ્તચર સંસ્થા ‘RAW’ પર લગાવ્યા મોટો આરોપ
આ પણ વાંચો: Banaskantha/ ગુજરાતમાં ફરી દલિત પર અત્યાચાર, ચોરીની શંકામાં એન્જીનીયર યુવકને ઢોર માર માર્યો