આત્મહત્યા/ અમદાવાદના ફતેવાડી વિસ્તારના યુવકે પાંચમાં માળેથી મોતની છલાંગ લગાવી

ગુજરાતમાં આત્મહત્યાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે જે એક ચિંતાની બાબત છે. આજની પેઢી સામાન્ય ઠપકો પણ સહન કરતી નથી અને આત્મહત્યા કરી લેતી હોય છે

Top Stories Gujarat
11 1 1 અમદાવાદના ફતેવાડી વિસ્તારના યુવકે પાંચમાં માળેથી મોતની છલાંગ લગાવી

ગુજરાતમાં આત્મહત્યાનો કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે જે એક ચિંતાની બાબત છે. આજની પેઢી સામાન્ય ઠપકો પણ સહન કરતી નથી અને આત્મહત્યા કરી લેતી હોય છે. અમદાવાદમાં એક યુવકે  ફલેટમાંથી કૂદીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ફતેવાડીમાં રહેતા યુવકને પરિવારે કોઈ કારણોસર ઠપકો આપ્યો હતો.આ યુવકને મનમાં ખોટું લાગી ગયું અને તેણે પાંચમાં માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવી દેતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી જોવા મળી છે. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે લક્ઝુરિયા વનમાં રહેતા  20 વર્ષીય યુવકે પાંચમા માળેથી લગાવી મોતની છલાંગ લગાવી હતી, તે ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું. બનાવની જાણ થતાં સોસાયટીના રહીશો તુરંત જ નીચે દોડી આવ્યા હતા. લોકોએ પોલીસને જાણ કરાતા સરખેજ પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંઘી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે યુવકે ધોરણ-12 સુધીનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ બાદ યુવક કામધંધો કે આગળનો અભ્યાસ કરતો નહોતો, જેને લઇને યુવકને પરિવારજનોએ ઠપકો આપ્યો હતો.  માઠુ લાગી આવતા તેણે  એપાર્ટમેન્ટના પાંચમા માળેથી કૂદીને છલાંગ લગાવીને જીવનનો અંત આણ્યો હતો.