ગુજરાત રાજ્યમાં કોરોનાએ ફરી પાછો પોતાનો અસલી રંગ બતાવવાનું શરુ કર્યું છે. ગુજરાત રાજ્યના અનેક નેતાઓ કોરોનાનોશીકાર બની ચુક્યા છે. ત્યારે રાજ્ય સભાના સાંસદ નરહરિ અમીન અને તેમના પત્ની પણ કોરોનાગ્રસ્ત બન્યા હતા. અને બંને ને સારવાર માટે યુ એન. મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઇમર્જન્સી / સંકટગ્રસ્ત લક્ષ્મી વિલાસ બેન્કના ખાતાધારકોમાં ભીતિ, ઉપડ્યા આ…
આજ રોજ 6 દિવસ ની ટ્રિટમેન્ટ બાદ રાજ્ય સભા ના સંસદ નરહરિ અમીન અને તેમના પત્ની ને યુ.એન.મહેતા માંથી રજા આપવામાં આવી છે. અને બંને ને આગામી 8 દિવસ માટે હોમ આઇસોલેશન માં રહેવા માટે સુચના આપવામાં આવી છે. હોસ્પીટલમાંથી વિદાય લેતા પહેલા તેમણે હોસ્પિટલના સ્ટાફ નો આભાર માન્યો હતો.
oath ceremony / નવ નિયુક્ત 8 ધારાસભ્યોએ શપથ ગ્રહણ કરી, અક્ષય પટેલને અલગથી શપ…
નોધનીય છે કે દિવાળી ના તહેવારમાં જ ગુજરાત રાજ્યમાં મળેલી છૂટનો દુર ઉપયોગ મોટા પ્રમાણમાં થયો હતો. અને હજુ પણ અનેક સ્થળોએ લોકોના ટોળે ટોળા જોવા મળે છે. અમદાવાદ શહેરમાં કોરોનાએ ફરી માઝા મૂકી છે. અને ફરી એક વાર અમદાવાદની હોસ્પિટલો કોરોના દર્દીઓથી કીડીયારાની જેમ ઉભરાઈ રહી છે.
વાયુ પ્રદુષણ / નાસાનો ખુલાસો, ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડામાં 20% ઘટાડો…