દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 26 નવેમ્બર 2020, ગુરૂવાર
- તિથિ – કારતક સુદ દ્વાદશી
- રાશિ – મીન (દ,ચ,ઝ,થ)
- નક્ષત્ર – રેવતી
- યોગ – સિદ્ધિ
- કરણ – બાલવ
દિન વિશેષ –
- શુભ ચોઘડીયું – સવારે 6.54 થી 8.17
- દ્વાદશી વૃદ્ધિતિથિ
- પ્રબોધિની ભાગવતી એકાદશી
- તુલસીવિવાહ
- અંક પ્રમાણે દિવસ થોડો અટપટો થાય છે
- હનુમાનજીની ઉપાસના પણ કરવી
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- પ્રવાસની શક્યતા છે
- ધનપ્રાપ્તિ થઈ શકે છે
- પારિવારીક કાર્યો વધે
- ધન સંબંધી કાર્યો થાય
* વૃષભ (બ,વ,ઉ) –
- પ્રવાસથી લાભ
- શુભ સમાચાર મળે
- પ્રેમ સંબંધ મજબૂત બને
- સંતાન સંબંધી બાબતો જાળવવી
* મિથુન (ક,છ,ઘ) –
- વેપારમાં ઉશ્કેરાટ વધે
- મોટો નિર્ણય ન લેવો
- ઘરમાં મતભેદ થઈ શકે છે
- ખોટા કાર્યોથી દૂર રહેવું
* કર્ક (ડ,હ) –
- ઘર સંબંધી નિર્ણય લેવાય
- બાંધકામ ક્ષેત્રે સફળતા
- ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે સફળતા
- લાભ પ્રાપ્ત થઈ શકે છે
* સિંહ (મ,ટ) –
- વેપારમાં સાવધાન રહેવું
- પિતા સાથે મતભેદ ન થાય તે જોવું
- શુભકાર્ય થાય
- બપોર પછી થોડી ચિંતા થાય
* કન્યા (પ,ઠ,ણ) –
- ધનપ્રાપ્તિ થાય
- મનમાં થોડી દુવિધા રહે
- બપોર પછી મૂંઝવણ વધે
- પ્રવાસ બાબતે ચિંતા થાય
* તુલા (ર,ત) –
- વિદેશ જવા માટે સરળતા રહે
- આરોગ્ય જાળવવું
- ઘરમાં જુદા જુદા અનેક મુદ્દા ચર્ચાય
- માતાનું આરોગ્ય જાળવવું
* વૃશ્ચિક (ન,ય) –
- પૂર્વના કર્મોનું શુભ ફળ મળે
- શેરબજારમાં સંયમથી લાભ
- સંતાન દ્વારા શુભ સમાચાર મળે
- જીવનસાથી સાથે મતભેદ ન થાય તે જોવું
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- વાહન ચલાવતા સાચવવું
- નોકરીમાં સાવધાન
- પાલતુ પ્રાણીથી દૂર રહેવું
- મિત્રોથી સહકાર મળે
* મકર (ખ,જ) –
- કાર્યમાં ચીવટ વધે
- વેપારમાં લાભ
- ઘરમાં સુખ રહે
- શુભકાર્યો થાય
* કુંભ (ગ,શ,સ,ષ) –
- ધર્મવૃત્તિ વધે
- જીવનમાં પરિવર્તન જણાય
- વેપારમાં લાભ રહે
- ખાન-પાન ઉપર સંયમ રાખજો
* મિન (દ,ચ,ઝ,થ) –
- આરોગ્ય જળવાશે
- થોડું નરમ વલણ રહે
- સંતાન સંબંધી બાબતો જોર પકડે
- ઘરમાં શાંતિ જાળવવી
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે તુલસીદેવીનું પૂજન કરવું.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…