દેશમાં કોરોના કાળમાં આમઆદમીની સાથે સરકારની આવકને પણ ફટકો પડયો છે. સરકાર દ્વારા શર કરવામાં આવેલા અધિકૃત આંકડા પ્રમાણે તા.15 ડિસે. સુધીના પ્રાપ્ત વેરા કનેકશનના આંકડા મુજબ કોર્પોરેટ ટેક્ષનું કુલ રૂા.2.26 લાખ કરોડનું કલેકશન થયું છે. જયારે વ્યક્તિગત આવકવેરામાં સરકારને રૂા.2.57 લાખ કરોડ મળ્યો છે જે 17.6%નો ઘટાડો સૂચવે છે.
tested successfully / ભારતની આકાશી હરણફાળ, બે બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ …
સામાન્ય રીતે વેરા વસુલાત દ્વારા સરકારની આવક નો અંદાજ લગાવવામાં આવતો હોય છે ત્યારે કોરોના કાળમાં સરકારની આવકમાં પણ ગાબડું પડી રહ્યું છે.ગત વર્ષે આ જ સમયગાળામાં સીધા કરવેરાની આવક જે રૂા.6.01 લાખ કરોડની હતી તે આ વર્ષે રૂા.4.95 લાખ કરોડની થઈ છે. સરકારના આ આંકડા પ્રાથમીક છે અને તેમાં થોડો સુધારો વધારો થઈ શકે છે. કોરોનાના કારણે આવેલા લોકડાઉન અને જે રીતે માંગમાં ઘટાડો થયો છે.
Corona Vaccine / ભારત માટે ખુશ ખબર, કોરોના રસીનું સફળ પરીક્ષણ…
આમ જનતામાં દરેકના વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે જેથી લોકોની આવક ઘટી હોય વિરોધ કરનારા લોકોની સંખ્યામાં જબરો ઘટાડો થયો છે. જેથી સરકારની વેરા આવક ઘટી છે. સરકારના જ આંકડા મુજબ રાજકોષીય ખાધ વધીને રૂા.9.14 લાખ કરોડની થઈ છે જે બજેટ અંદાજના 114.8% થઈ છે.સરકારના માર્ચ 2021 વર્ષના અંતમાં બજેટ અંદાજમાં લક્ષ્યાંક હાંસલ કરી શકાશે નહી તે નિશ્ર્ચિત છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…