Bihar News: બિહારમાં આજે બપોરે 3:30 વાગ્યે બિહાર કેબિનેટનું વિસ્તરણ થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ ભાજપે બિહાર યુનિટ પાસે મંત્રી તરીકેની શપથ લેવા જશે તે ધારાસભ્યોનું લિસ્ટ મોકલી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કેબિનેટનું વિસ્તરણ થવાને લઈ ભાજપની રણનીતિ સાથે આગળ વધવાની ઈચ્છા દર્શાવે છે.
સૂત્રો મુજબ લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા ભાજપ કોઈ પણ પ્રકારની નારાજગી ઈચ્છતી નથી. નીતિશ કુમાર પણ કેબિનેટનું વિસ્તરણ ઈચ્છે છે. જેડીયુએ પણ લિસ્ટ તૈયાર બતાવ્યું છે. જેણે મંત્રી તરીકેની શપથ લેવાની છે તેમણે પટનામાં રોકાવા જણાવ્યું છે.
નીતિશ કુમાર દોઢ મહિના અગાઉ 9મી વખત સીએમ તરીકેના શપથ લેવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. વર્તમાનમાં નીતિશની કેબિનેટમાં કુલ 9 મંત્રીઓ છે. ભાજપમાંથી સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કેબિનેટમાં કુલ 36 મંત્રી હોઈ શકે છે.
આ પણ વાંચો:પીએમ મોદીએ ભૂટાનના સમકક્ષ શેરિંગ તોબગે સાથે ઘણા મુદ્દાઓ પર ‘અર્થપૂર્ણ’ ચર્ચા કરી
આ પણ વાંચો:પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર, અહીં ₹7થી વધુ સસ્તું મળશે ક્રૂડ ઓઈલ
આ પણ વાંચો: સાયબર ક્રિમિનલ કિડનેપિંગ અને ખંડણી માટે AIનો કરી રહ્યા છે ઉપયોગ