નવી દિલ્હીઃ મુંબઇની મુલાકાતે આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર પટેલના સ્ટેચ્યું બાદ મહરાષ્ટ્રના મુંબઇના દરિયામાં નિર્મણ પામનાર છત્રપતિ શિવજીની પ્રતિમા ભૂમિ પૂજન કરશે.. આ પ્રતિમાનું નિર્માણ મહારાષ્ટ્ર સરકાર તરફથી કરવામાં આવશે. 3600 કરોડ જેટલા બજેટ સાથે આ પ્રતિમા માટે ફંડ ફાળવી દેવામાં આવ્યું છે.
મહારષ્ટ્ર સરકારનો દાવો છે કે શિવાજીના આ પ્રતિમાં ગુજરાતના કેવડીયા કોલોની ખાતે આવેલા નર્મદા ડેમમાં બનનાર સરદાર પટેલની સ્ટેચ્યું ઓફ યુનિટી કરતા પણ મોટી હશે.
પ્રધાનમંત્રીના મુબઇના પ્રવાસ દરમિયાન અન્ય યોજનાઓની પણ જાહેરાત કરી શકે છે. જેમા મુંબઇની લાઇફલાઇન સમાન લોકલ ટ્રેનની કાયા પલટ કરવાની યોજનાની 55 હજાર કરોડ રૂપિયી જાહેરાત કરી શકે છે. આ યોજનાથી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા સંખ્યા વધીને 92 લાખ થઇ જશે. 47 આધુનિક ટ્રેન હશે જેમા એ.સી. અને સેમીએ.સી. હશે.