ડીસા તાલુકાના સણથ ગામના ખેતરમાંથી કાંકરેજ તાલુકાના શિયા ગામની માતા-પુત્રીની લાશ મળી આવતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામ્યો છે. મૃતદેહોના પ્રાથમીક નિરીક્ષણ બાદ પોલીસ દ્રારા પ્રથમ દ્રષ્ટીએ માતા-પુત્રીનાં મોત ઝાટકા મશીનથી કરંટ લાગતા નિપજ્યા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હોય, પોલીસે આ દિશામાં વધું તપાસ હાથ ધરી છે.
કૃષિ આંદોલન / આખરે કેવી રીતે સમાપ્ત થશે કૃષી આંદોલન ? કૃષિ કાયદા રદ તો નહી…
મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના જુના સણથ ગામની સીમમાં આવેલ ખેતરમાં મૃત હાલતમાં ૨ લાશો પડી હતી.જેને લઇને લોકોએ ભીલડી પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસ દોડી આવી હતી અને તપાસ કરતા અમરતભાઇ ભીખાભાઇ રબારીના ખેતરમાં બટાકાના રક્ષણ માટે ઝાટકા મશીનનો વિજ કરંટ લાગવાથી કાંકરેજ તાલુકાના શીયા ગામના ગીતાબેન સરતનભાઇ રબારી (ઉ.વ. ૪૧) અને પુત્રી મિનલબેન સરતનભાઇ રબારી (ઉ.વ. ૧૫) મરણ પામેલ હોવાનું પ્રથમ નજરે જણાયું હતું.
Panchmahal: ગૌચર જમીનમાં ખોટી નોંધ મામલે 8 યુવાનોનો આત્મ વિલોપનનો પ્રયાસ…
પરંતુ ૩ દિવસ અગાઉ આ માતા પુત્રી પોતાના પિયર મળવા જવુ છું તેમ કહીને નીકળી હતી જેમની આજે સણથ ગામના ખેતરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમા લાશ મળી આવી હતી. ભીલડી પી.એસ. આઇ. એ .બી. શાહ ઘટના સ્થળે દોડી જઇ આધાર કાર્ડ દ્વારા મૃતકોની ઓળખ વિધી કરીને તેમના વારસદારોને જાણ કરી હતી. બાદમાં ભીલડી સી. એચ. સી. ખાતે લાશો પોસ્ટમોર્ટ્મ અર્થે ખસેડવામા આવી હતી. આધારભૂત માહિતી મુજબ ખેડુતો પોતાના રવિ પાક ભુંડ અને જંગલી જનાવરોથી બચાવવા માટે ખેતરમાં ઝાટકા મશીનથી વિજ કરંટ મૂકે છે.
ઉત્તરાયણ: ઉત્તરાયણ ઉજવણીનો મુદ્દો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટ, સરકાર વલણ …
ઝાટકા મશીનને લઇને અવાર નવાર આવા બનાવ બનતા હોય છે. પરંતુ મૃતક કાંકરેજ તાલુકાના શીયા ગામના વતની હતા. જેઓ સણથ ગામના ખેતરમાં કયા કારણસર આવ્યા ? કારણ તેઓને આ વિસ્તારમાં કોઇ સગા સંબધી પણ નથી તેવો સવાલ ઉઠતા ખુદ પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ છે. જેની વધુ તપાસ ભીલડી પી.એસ.આઇ .એ. બી. શાહ ચલાવી રહ્યા છે. હાલ તો મા પુત્રીની લાશને લઈ પંથકમાં અવનવા તર્ક વિતર્ક વહેતા થવા લાગ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…