અમદાવાદના બરેજાની અસ્થા હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો છે. જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં આગમાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તે અંગે કોઈ માહિતી મળી નથી.
મહારાષ્ટ્રમાં હોસ્પિટલમાં લાગેલી આગમાં 10 નવજાતનાં મોત
શનિવારે વહેલી સવારે મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં લાગેલી આગમાં 10 નવજાતનાં મોત થયાં હતાં. આ ઘટના બીમાર નવજાત કેર યુનિટ (એસએનસીયુ) માં બની છે. શરૂઆતમાં, હોસ્પિટલનું વહીવટ આ ઘટના માટે જવાબદાર હોવાનું જણાય છે. વોર્ડમાં 17 બાળકો હતા. જેમાંથી 7 ને બચાવવામાં અવાય છે.
હોસ્પિટલના મેડિકલ ઓફિસર પ્રમોદ ખંડાતેના જણાવ્યા અનુસાર, “અકસ્માત રાત્રે 2 વાગ્યાની આસપાસ બન્યો હતો. ન્યૂબોર્ન યૂનિટમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. નર્સે દરવાજો ખોલ્યો અને જોયું કે ધુમાડો વોર્ડમાં ભરાઈ ગયો છે. તેમણે વરિષ્ઠ તબીબોને માહિતી આપી. સ્ટાફે બાળકોને બહાર કાઢવા લાગ્યા, પરંતુ ત્યાં સુધીમાં 10 નિર્દોષ માસૂમોના મોત નીપજ્યાં હતાં. 7 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેઓને બીજા વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. “
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…