કોંગ્રેસના ધારાસભ્ય આ શું બોલી ગયા!/ આમ આદમી પાર્ટીને મત આપવાનાં હો તો તેના કરતા ભાજપને જ મત આપજોઃ લલિત વસોયા

ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે રાજકોટમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ દિગ્ગજો હાજર રહ્યાં હતા. ત્યારે  ગુજરાત કોંગ્રેસમાં ધારાસભ્ય લલિત વસોયાનું એક  નિવેદન સામે આવ્યું છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
2 1 4 આમ આદમી પાર્ટીને મત આપવાનાં હો તો તેના કરતા ભાજપને જ મત આપજોઃ લલિત વસોયા

ચૂંટણીના પડધમ શરૂ થતાની સાથે નેતાઓની ભાષણબાજી પણ શરૂ થઇ ગઇ છે. પરંતુ કોંગ્રેસના નેતાઓએ તો જાણે નક્કી કરી લીધુ હોય કે પોતાની નાવ જાતે ડુબાડશે તેવુ સ્પષ્ટ થાયછે. કારણ કે આજે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પ્રજાને મુંઝવણમાં નાંખે તેવી એક વિચિત્ર વાત કરી હતી.

હકીકતમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે રાજકોટમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ દિગ્ગજો હાજર રહ્યાં હતા. ત્યારે  ગુજરાત કોંગ્રેસમાં ધારાસભ્ય લલિત વસોયાનું એક  નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જાહેર મંચ પરથી જ ભાજપને મત આપવા માટેની અપીલ કરી હતી.

લલિત વસોયાએ જણાવ્યું કે, જો તમે આમ આદમી પાર્ટીને મત આપવાનાં હો તો તેના કરતા ભાજપને જ મત આપજો. ભાજપ દ્વારા પોતાની બી ટીમ તરીકે આપને ઉતારવામાં આવી છે. ભાજપને ખબર છે કે આ વખતે જીતી શકાય તેમ નથી. તેવામાં ગુજરાત કોંગ્રેસને હરાવવા માટે પોતાની બી ટીમ લઇને ઉતરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ નિવેદન બાદ થોડા સમય માટે મંચ પર હાજર નેતાઓ પણ વિચારમાં પડી ગયા હતા. જો કે વસોયા પોતાની વાકપટુતાના કારણે જાણીતા છે. લાંબા સમયથી તેઓ ભાજપમાં જોડાય તેવી લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. પરંતુ તેઓ એક પીઢ રાજનેતા છે. તેઓ હંમેશાથી જ દરેક પક્ષનાં નેતાઓ સાથે સારા સંબંધો રાખે છે. પરંતુ પોતાની અને પક્ષની માનસિકતાને પણ એટલી જ મજબુતીથી વળગી રહે છે.

બીજી બાજુ આ નિવેદન પર કટાક્ષ કરતા અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે આ જોવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મંચ પરથી ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને મત ના આપશો, ભાજપને મત આપો. શું હજુ પણ કોઇ શંકા છે કે આ બંને એકસાથે ચૂંટણી લડી રહ્યા છે. હકીકતમાં આ બન્ને પક્ષ સાથે મળીને આમ આદમી પાર્ટીની વિરૂદ્ધમાં ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસના નેતાઓના આવા નિવેદન કોને લાભ કરાવશે અને કોને નુકશાન તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ એટલું નક્કી કે છે પોતાની જાતને બુદ્ધિશાળી માનતા કોંગ્રેસના નેતાઓ પગ પર જ કુહાડી મારી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.