- અમદાવાદ ગોતા માં ફર્નિચર ના ગોડાઉન માં ભીષણ આગ
- ફાયર વિભાગ ની 15 ગાડીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે
- આગ લાગવાનું કારણ અકબંધ…
તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર અમદાવાદ શહેરનાં ગોતા વિસ્તારમાં ફર્નિચરનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાનુ સામે આવી રહ્યુ છે. માહિતી મળતા જ ફાયર વિભાગની 14 ગાડીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દૌડી આવ્યા છે. જો કે હજુ સુધી આગ લાગવાનુ કારણ અકબંધ છે.
મળી રહેલી માહિતી અનુસાર, શ્રીજી એસ્ટેટ લાકડાનાં ગોડાઉનમાં આગ લાગવાથી આસપાસનાં વિસ્તારમાં અંધાધૂધી ફેલાઇ ગઇ હતી. આ આગ કેટલી ભયાનક છે તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે આ આગને શાંત કરવા માટે ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…