ગુજરાત/ નવસારીમાં હત્યા કરી ખેતરમાં દાટી દેવાયેલી લાશ મળતા ચકચાર

નવસારીમાં નિસાર કાપડીયા નામનો યુવક 25 દિવસ પહેલા ગૂમ થઈ ગયો હતો. પોતાનો યુવાન દિકરો ગૂમ થઈ જતા શોકાતુર પરિવારજનોએ જલાલપોર પોલીસ સ્ટેશનમાં તેની ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

Gujarat
હત્યા

નવસારીમાં અબ્રામા ગામ ખાતેથી પોલીસને એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આરોપીઓએ હત્યા કરીને લાશને ખેતરમાં દાડી દીધી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ અંગે સલાલપોર પોલીસે હત્યાનો ગુનો નોંધીને ત્રણ શખ્સોની અટકાયત કરી છે.

નવસારીમાં નિસાર કાપડીયા નામનો યુવક 25 દિવસ પહેલા ગૂમ થઈ ગયો હતો. પોતાનો યુવાન દિકરો ગૂમ થઈ જતા શોકાતુર પરિવારજનોએ જલાલપોર પોલીસ સ્ટેશનમાં તેની ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

બીજીતરફ પોલીસે યુવકની શોધ હાથ ધરતા તેના મિત્રએ જ તેની હત્યા કરી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. બાદમાં પોલીસે જમીનમાં દાડી દેવાયેલી લાશ બહાર કાઢી હતી. તે સમયે ઘટનાસ્થળે ડીવાયએપી, એસડીએમ, ડોક્ટર અને મૃતકના પરિવારજનો હાજર હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ સંદર્ભે પોલીસે ત્રણ શખ્સોને અટકમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….