@રીઝવાન શેખ , મંતવ્ય ન્યુઝ, અમદાવાદ…
પોલીસે આસપાસના મકાન-દુકાનો બહાર લગાવેલા સસીટીવી ફુટેજની ચકાસણી કરવાનું કાર્ય પણ શરુ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા ઘણી બધી શંકાઓ સેવાય રહી છે કે, નરકંકાલનો ઉપયોગ કદાચ બ્લેક મેજિક માટે પણ થયો હોય શકે છે. અથવા તો કોઈ પ્રાણી કબ્રસ્તાનમાંથી નરકંકાલ કાઢીને લઇ આવ્યું હોઇ શકે. પોલીસે ચારે દિશામાં તપાસ શરુ કરી દીધી છે.
જો કે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડમાં આ બીજી વખત નરકંકાલ મળી આવ્યું છે. પહેલા પણ આવી જ રીતે ગટરમાંથી નરકંકાલ મળી આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવામાં આવી ચૂકી છે. ફરી બીજુ નરકંકાલ પૂર્વેની જેમજ ગટરમાંતી મળી આવતા પોલીસ હવે ખુબજ સજાગ થઇ ગઈ છે. અને ત્રીજી વાર આ ઘટના ન બને તે માટે આખા વલસાડમાં તપાસના ધમધમાટ શરુ થઇ ગયો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…