લોકગાયક કિર્તીદાન ગઢવી સપડાયા વિવાદમાં
નાયક ભોજક સમાજ વિરુદ્ધ નિવેદન આપતા વિવાદ
કિર્તીદાન ઉપર ફરિયાદ દાખલ કરવા થઈ અરજી
નાયક ભોજક સમાજનો કિર્તીદાન સામે રોષ
પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી વિવાદમાં સપડાયા છે. એક કાર્યક્રમ દરમિયાન કિર્તીદાન ગઢવીએ નાયક ભોજક સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરતા વિવાદમાં આવ્યા છે. આ મામલે કીર્તિદાન ગઢવી ઉપર ફરિયાદ દાખલ કરવા અરજી થઈ છે. પાટણના બી ડિવિઝન પોલીસ મથકમાં ચેતન નાયક નામનાં યુવાને અરજી નોધાવી છે. ભોજક સમાજે કિર્તીદાન ગઢવી પાસે માફીની માંગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના આ સુપ્રસિદ્ધ અને લોકલાડીલા ગાયક કિર્તીદાન ગઢવીનો થોડા સમય પૂર્વે એક કાર્યક્રમ હતો. મોટી સંખ્યામાં લોકજુવાળ આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. ત્યાં કિર્તીદાન ગઢવીએ ભોજક સમાજ વિશે એક ઉચ્ચારણ કર્યું હતું. અને કીર્તીદાનના આ ઉચ્ચારણ વિરુદ્ધ ભોજક સમાજમાં રોષ ફેલાયો હતો. જેને પગલે પાટણમાં કિર્તીદાન ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને ભોજક સમાજે કિર્તીદાન ગઢવી પાસે માફીની માગ કરી હતી. ત્યારબાદ ભોજક સમાજે પાટણ અને મહેસાણામાં કિર્તીદાન ગઢવીનો વિરોધ કર્યો હતો અને કલેક્ટરને મળીને ભોજક સમાજે એક આવેદનપત્ર આપીને માંફીની માંગણી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.