અમરેલી,
અમરેલીના લાઠી બાયપાસ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકના મોત નિપજ્યા હતા. જ્યારે 1ની હાલત ગંભીર હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
લાઠી બાયપાસ પાસેના મુક્તિઘામની કે જ્યાંથી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકે કારને ટક્કર મારતા કારમાં સવાર 3 લોકોના મોત નિપજ્યા હતા.
જ્યારે 1ની હાલત ગંભીર હોવાથી તેને રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, આ ઘટનામાં મૃતકોને જેસીબીની મદદથી રેસ્કયુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ મૃતકો અમરેલીના હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.