ઇડર રામપુરા ગામના એક આધેડ ના એકાઉન્ટ નો otp માંગી ને 98796ની ઠગાઈ ની ફરિયાદ પોલીસ સ્ટેશન માં નોધાઈ છે. ઇડર રામપુરા ગામ માં થોડાક દિવસ પહેલા રામપુર ગામના આધેડ ને દેનાબેંક માંથી ફોન આવ્યા હતો બી ઓ બી માં મર્જ થઈ છે તેમ કહી ને ગઠિયાએ ઓ.ટી.પી માંગી ને ખાતા માંથી 98796 ઉપાડી લેતા ઇડર પોલીસ માં ફરિયાદ નોધાઈ છે.
ઇડર તાલુકા ના રામપુરા ગામના ઈશ્વરભાઈ બબાભાઈ પટેલ ને 6 ફેબ્રુઆરી ના દિવસે પોતાના નવા રામપુરા ગામે હતા ત્યારે 9832899690 પર ફોન આવ્યો હતો દેનાબેંક માંથી બોલું દેનાબેંક બી ઓ બી બેંકમાં મર્જ થઈ ગઈ છે આધાર કાર્ડ અને એટીએમ કાર્ડ મોકલી આપો.
જયારે ફરી વારએ ગઠિયાએ ઈશ્વરભાઈ ઉપર ફોન આવ્યો હતો કહ્યું હતું કે તમારા મોબાઈલ માં otp આપો જેથી સાત વાર મેસેજ આવેલા જે મેસેજ આપ્યા હતા. રવિવાર ના બીજા દિવસે પણ ફોન આવ્યો હતો. પણ બીજા દિવસે રવિવારે હોવાથી શક જતા ઈશ્વરભાઈ ના પુત્ર કશ્યપ એ મોબાઈલ ચેક કરતા બેન્ક ખાતા 73266 હતા ખાતા માંથી 98796/-રૂપિયા ઉપાડી લીધાઅને અંતે ઇશ્વરભાઈ એ ઇડર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોધાવી હતી. પોલીસએ ફોન કરનાર ગઠિયા ની તપાસ હાથ ધરી છે.
Jammu / પુલવામા હુમલાની વરસી પર ટળ્યો મોટો આતંકી હુમલો, બસ સ્ટેન્ડમાંથી મળ્યો 7 કિલો lED
Political / એકવાર ફરી નજરકેદ કરવામાં આવ્યા ઉમર અબ્દુલ્લા, ટ્વીટ કરી આપી જાણકારી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…