અવસાન/ કાંકરેજ તાલુકાનાં પૂર્વ ધારાસભ્યનું કોરોનાનાં કારણે નિધન

કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના પીઢ નેતાનું કોરોનાનાં કારણે નિધન થાયું છે. કાંકરેજ તાલુકાનાં કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ધારસિંહભાઈ ખાનપુરાનું કોરોનાથી નિધન થતા દુખની લાગણી ફેલાઇ ગઇ છે

Gujarat Others
kaprada 15 કાંકરેજ તાલુકાનાં પૂર્વ ધારાસભ્યનું કોરોનાનાં કારણે નિધન

કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના પીઢ નેતાનું કોરોનાનાં કારણે નિધન થાયું છે. કાંકરેજ તાલુકાનાં કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ધારસિંહભાઈ ખાનપુરાનું કોરોનાથી નિધન થતા દુખની લાગણી ફેલાઇ ગઇ છે. કોંગ્રેસ પક્ષના પીઢ નેતાના મોતથી શોકનો માહોલ જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ ધારાસભ્ય ધારસિંહભાઈ ખાનપુરા કોરોનાનાં કારણે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા અને કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. પૂર્વે 4 ટર્મ સુધી કાંકરેજ નાં ધારાસભ્ય રહી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય ધારસિંહભાઈ ખાનપુરા કોરોના સામેની જંગમાં લાંબી લડાઇ બાદ હારી ગયા છે. એક પીઢ નેતા ગુમાવ્યા બાદ કોંગ્રેસ સહિતનાં અનેક રાજનેતાઓ દ્વારા પૂર્વ ધારાસભ્ય ધારસિંહભાઈ ખાનપુરાનાં દુખદ નિધન પર શોક પ્રગટ કરવામાં આવ્યો છે. 

નોધનીય છે કે, ગુજરાત રાજકારણના અનેક નેતાઓ કોરોનાની ગિરફતમાં સપડાઈ ચુક્યા છે. કોરોનાએ કોંગ્રેસ કે ભાજપ કોઈ પણ જોયા વિના દરેક ને પોતાની પકડમાં લીધા છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા ભરત સિહ સોલંકી પણ કોરોના ના સકંજામાં આવી ગયા હતા અને ૧૧૦ દિવસ કોરોના ને કારણે હોપીતાલમાં રહેવાનો વિક્રમ નોધાવ્યો હતો.