સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરમાં સ્વાઇન ફ્લૂને કારણે મોતના આંકડામાં વધારો થયો છે. સ્વાઇન ફ્લૂને કારણે વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે. આ મહિલાને સુરેન્દ્રનગરથી અમદાવાદ ખાતે સ્વાઇન ફ્લૂની સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.