હજુ તો ઉનાળાની શરૂઆત છે અને અમદાવાદ શહેરમાં પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના ઉત્તર,પૂર્વ અને દક્ષિણ ઝોનમાં આવતી કાલે તા. 4 માર્ચ ૨૦૨૧ન રોજ સવારે પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે અમદાવાદ શહેરમાં આવતી કાલે સવારે અને સાંજે પાણી છોડવામાં નહિ આવે.
ઉલ્લેખનીય છે કે સમારકામના લીધે પાણી કાપ રહેશે. સવારે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી છોડવામાં આવશે. જયારે બપોરબાદ પાણી છોડવામાં આવશે નહી. શુક્રવાર 5 માર્ચના રોજ રાબેતા મુજબ પાણી પુરવઠો મળી રહેશે.