અમદાવાદ/ ભાઈ એ પોતાના મોટા ભાઈની કરી હત્યા, ઘટનાથી વિસ્તારમાં મચ્યો હડકંપ

અમદાવાદના મણિનગર વિસ્તારમાં નાનાભાઈએ જ પોતાના મોટાભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Ahmedabad Gujarat
હત્યા

અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન લુંટફાટ કે હત્યા ની અને શહેરમાં કાયદાનો કોઈને ખૌફ જ ના હોય એ પ્રકારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આ જ પ્રકારની હત્યા ની ઘટના શહેરના મણીનગરમાંથી સામે આવી છે. હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો :કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલમાં પરિવર્તિત કરાયેલ રાજ્યભરની હોસ્પિટલ્સની તમામ કામગીરી પૂર્વવત : નીતિન પટેલ

અમદાવાદના મણિનગર વિસ્તારમાં નાનાભાઈએ જ પોતાના મોટાભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભાઈ એ જ ભાઈની હત્યા કરતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

મળતી વિગતો મુજબ, મણિનગર વિસ્તારમાં દક્ષિણી સોસાયટી પાસે કોઈ અગમ્ય કારણોસર બંને ભાઈઓ વચ્ચે ઝગડો થવાની વાત સામે આવી છે, જેમાં આ ઝઘડામાં બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી ઉશ્કેરાઈને નાનાભાઈએ ગેસનો બાટલો ઉંચકી મોટાભાઈને માથામાં મારી દીધો હતો. જેમાં મોટાભાઈનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ત્યારબાદ આરોપી નિલેશએ જ 108 ફોન કર્યો હતો. 108ની ટીમ પહોંચી તો સુભાષનું મોત નીપજ્યું હતું. નીલેશે તેનો ભાઈ સુભાષ પડી જતા વાગી ગયું હોવાની સ્ટોરી ઉભી કરી રહ્યો હતો. પણ બીજી બાજુ 108એ મણિનગર પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. શરૂઆતથી જ નિલેશ ખોટું બોલી રહ્યો હોવાનું માની પોલીસ દ્વારા ઉલટ પૂછપરછ કરતા નિલેશે તેના ભાઈ સુભાષ સાથે બોલાચાલી થતા તેને મારવા આવતા ગેસ બોટલ મારી દઈ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો.

આ પણ વાંચો : ભરૂચના પાલેજ ખાતે ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રા આવી પહોંચી 

આ બનાવની જાણ થતાં જ મણિનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી ભાઈની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : આઝાદીના પર્વની કરાઈ અનોખી ઉજવણી, એકસાથે 15 બાળકોનો જન્મ થતા હોસ્પિટલે કર્યું એવું કે, તે જાણીને..

આ પણ વાંચો : દેશના 4 સ્થળોને મળી રામસર સાઇટની માન્યતા, રાજ્યના આ બે સ્થળનો થયો સમાવેશ જાણો ક્યાં

બીજી બાજુ શહેરના વસ્ત્રાલ લેક નજીક અવાવરૂ જગ્યાએ ઝાડીઓમાંથી એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસ દરમિયાન મહિલાનું માથું અને ધડ અલગ અલગ જોવા મળતાં હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી હતી. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :રાજય ના આ 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂની અવધિ લંબાવાઈ, જાણી લો તમે પણ

મણિનગર પોલીસસ્ટેશન ના પીઆઇ ભરત ગોયલ એ જણાવ્યું કે આરોપી નિલેશ ની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સુભાસ કોઈ કામધંધો કરતો ન હતો. તેના છૂટાછેડા થયા ત્યારથી માતા અને બે ભાઈઓ આ મકાનમાં રહે છે.

108ને આરોપીએ જાતે જ જાણ કરી હતી અને તેનો ભાઈ પડી ગયો હોવાની કહાની બનાવી હતી. જોકે તપાસ કરતા હત્યા કરી હોવાનું સામે આવતા ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : SOU સ્થિત જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવું નજરાણું, સફેદ નર વાઘ વીરને મળી સફેદ માદા

આ પણ વાંચો :   20 દિવસ બાદ અલંગ ટ્રક ટ્રાન્સપોર્ટ ની હડતાલનો સૌરાષ્ટ્ર ચેમ્બર કોમર્સની મધ્યસ્થી બાદ આવ્યો સુખદ અંત