- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1204
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 226508
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 12
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1338
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 208867
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 13481
ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ હાલ પણ સતત આક્રમક જોવામાં આવી રહ્યું છે, જો કે પાછલા પખવાડીયા કરતા કોરોનાનાં સંક્રમણ અને મૃત્યુ આંકમાં નબળાઇ જોવામાં આવી રહી છે. દિવાળી અને લગ્ન ખરીદીની સિઝન બાદ જે રીતે કોરોનાએ ફરી એક વખત માથું ઉંચક્યુ હતું અને બેકાબૂ બનતો નજર આવી રહયો હતો, તે હાલની સ્થિતિએ કહી શકાય કે કાબૂમાં જોવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં જો કે, પાછલા દિવસોના પ્રમાણમાં અંશત ઘટાડો જોવામાં આવી રહ્યો છે, છતાં પણ સંક્રમણ હાહાકાર મચાવી રહ્યો છે તેવી સ્થિતિ સ્પષ્ટ જોવામાં આવી રહી છે.
જો વાત કરવામાં આવે આજનાં કોરોનાનાં આંકડાની તો, આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 1204 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.
Agricultural Bills / આખરે ખેડૂત આંદોલન એક નાની માછલીની મોટી માછલી સામેની લડાઈની&#…
રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1338 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 208867 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 13481 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 13481 ક્રિટીકલ કેસમાંથી 67 વેન્ટીલેટર પર છે, જ્યારે 13413 દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે
Farmer Protesst / કૃષી કાયાદાનો અમલ થવા દે, વાંધા જનક લાગે તો પછી કહે જો ̵…
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1204 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 226508 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4160 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.
રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય સરકારના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સાંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. એજ રીતે કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આજે રાજ્યમા કુલ 60423 ટેસ્ટ કરવામાાં આવ્યા છે. અને કુલ મળીને આત્યાર સુધીમાં રાજયમાાં 8613587 ટેસ્ટ કરવામા આવ્યા છે.
રાજ્યના જુદાજુદા જીલ્લાઓમાં આજની તારીખે કુલ 539046 લોકોને કોરેન્ટાઈન કરવામા આવ્યા છે, જે પૈકી 538912 લોકો હોમ કોરેન્ટાઈન છે અને 134 લોકો ફેસીલીટી કોરેન્ટાઈનમા રાખવામા આવ્યા છે.
આહીં ક્લિક કરી તમે વાંચી શકો છે ગુજરાત સરકાર દ્વારા રોજેરોજ બહાર પાડવામાં આવતું કોરોના બુલેટીન પણ – Press Brief 12.12.2020
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…