અમદાવાદમાં એક ઐતિહાસિક કાર્યક્રમ ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણી નિમિત્તે થવા જઈ રહ્યો છે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતના હતા અને ગુજરાતમાં આવેલ ગાંધી આશ્રમખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે ત્યારે આજે સમગ્ર દેશની નજર તેઓના આગમન પહેલાની તૈયારી પરતેમજ દિવસ ભરનાં કાર્યક્રમો પર રહેશે.ભારતની આઝાદીના 75માં વર્ષે ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે. તેઓ અહીંથી દાંડી યાત્રાનો પ્રારંભ પણ કરાવશે.
ડેમોક્રેસી પર ખતરો ? / રાહુલનું નિવેદન- ભારત હવે લોકતાંત્રિક દેશ નથી રહ્યો, ભાજપનો પ્રહાર- એજન્ટ જેવું કામ કરી રહ્યા છે યુવરાજ
Corona Update / કોરોનાનો અન્ય રાજ્યો સહિત ગુજરાત પર પણ કહેર, આજે નોંધાયા આટલા કેસ
આજે વડાપ્રધાનના આગમન બાદ શું હશે તેઓનો ઘટનાક્રમ
ભારતની આઝાદીના 75માં વર્ષે ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે. તેઓ અહીંથી દાંડી યાત્રાનો પ્રારંભ પણ કરાવશે.
પીએમ મોદી શુક્રવારે સવારે 8.30 કલાકે દિલ્હીથી નિકળશે અને 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
ત્યારબાદ પીએમ 10.30 કલાકે સાબરમતિ આશ્રમ પહોંચશે. અહીં બપોરે 12.15 કલાક સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાલ વેશે.
પીએમ નરેન્દ્ર મોદી આશરે બે કલાક અમદાવાદમાં રહેવાના છે.
પીએમ મોદીના આગમન પહેલા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
God grace / આખરે પાંચ વર્ષ બાદ પાકિસ્તાનથી પરત આવેલી ગીતાની તપાસ પૂર્ણ, DNA ટેસ્ટ પછી માતાને સોપણી
PM care fund / દેશની દિગ્ગજ કંપનીઓએ PM careમાં કેટલા નાણાં જમા કરાવ્યા ? જાણો
વડાપ્રધાન દાંડીયાત્રા કાર્યક્રમનો કરાવશે પ્રારંભ, મુખ્યમંત્રી સહિત આ મહાનુભાવો પણ રહેશે ઉપસ્થિત
‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને એનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.આ પ્રસંગે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલ, સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ, અમૃત મોદી અને ડૉ. સુદર્શન આયંગર ઉપસ્થિત રહેવાના છે. આ પ્રસંગે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલ, સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ, અમૃત મોદી અને ડૉ. સુદર્શન આયંગર ઉપસ્થિત રહેવાના છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…