ગુજરાતના અનેક શહેરોમાં સવારે 9 થી 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી આપવાની છૂટ આપવાં આવી છે.જેમને લઈને વ્યાપારીઓ માં હાશકારો અનુભવાયો છે . તેમાં ખાસ કરીને અમદાવાદમાં બજાર ખુલતાં જ લોકો બેજવાબદાર થયા હોવાનું સામે આવ્યું છે.
જેમાં અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં કોરોનાના નિયમોનો ભંગ કરતા ખરીદી કરતા જોવા મળી રહ્યા હતા . અમદાવાદ શહેરમાં સંક્ર્મણનું પ્રમાણ ઘટતું જોવા મળી રહ્યું છે ત્યારે જો આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવે તો કોરોના નો રાફડો ફાટી શકે તેમ છે .