પાકિસ્તાનમાં પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. થોડા દિવસો પહેલા, ઘણા શહેરોમાં ઇસ્લામિક કટ્ટરપંથી પાર્ટી તહરીક-એ-લાબબેક પાકિસ્તાન (ટીએલપી) ના પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ ગૃહ મંત્રાલયના આદેશને પગલે પાકિસ્તાન ટેલિકમ્યુનિકેશન ઓથોરિટીએ શુક્રવારે સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ રાખ્યા હતા.
આ સમય દરમિયાન, આખા પાકિસ્તાનમાં ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ, વ્હોટ્સએપ, ટેલિગ્રામ બંધ રહ્યા હતા. પાકિસ્તાન ટેલિકમ્યુનિકેશન ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયના આદેશ બાદ તાત્કાલિક અસરથી આ પગલું લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં તહરીક-એ-લબ્બેક પાકિસ્તાન (TLP) હિંસામાં 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠનોમાં ફ્રાંસ અંગે રોષ
પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠનોમાં ફ્રાંસ અંગે રોષ છે. હકીકતમાં, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગયા વર્ષે નવેમ્બરમાં સ્કૂલના વર્ગમાં પ્રોફેટ મોહમ્મદના કાર્ટૂન બતાવવાને અભિવ્યક્તિની સ્વતંત્રતા ગણાવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષકની હત્યા કરવામાં આવી હતી તો પણ રાષ્ટ્રપતિએ તે શિક્ષકને ટેકો આપ્યો હતો,ત્યારબાદથી પાકિસ્તાનમાં મેક્રોસ સામે ગુસ્સો છે અને દેખાવો થઈ રહ્યા છે. સતત વધી રહેલી હિંસા બાદ ફ્રાન્સે તેના નાગરિકો અને કંપનીઓને કેટલાક સમય માટે પાકિસ્તાન છોડવાની અપીલ કરી છે. તે જ સમયે, ફ્રાન્સે તેના તમામ રાજદ્વારીઓને પણ બોલાવ્યા છે. જ્યારે આ રાજદ્વારીઓ એરપોર્ટ પર જતા હતા ત્યારે પણ તેમના કાફલાને રોકવાનો પ્રયાસ થયો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…