દેશમાં સતત કોરોના વધી રહ્યો છે.દિનપ્રતિ દિન કેસમાં વધારો થઇ રહ્યો છે. આવામાં કોરોનાથી બચવા માટે હાલમાં માસ્ક જ એક ઉત્તમ ઉપાય ગણવામાં આવી રહ્યો છે. જેના માટે લોકો જેટલી જાગૃતિ રાખે તેટલી ઓછી છે. હાલમાં કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં લોકોમાં કોરોના સંક્રમણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે પોતે ભગવાન રામ રસ્તા પર ઉતર્યા હતા. માસ્ક સાથે લોકોને સામાજિક અંતરનો પાઠ ભણાવવા માટે ભગવાન રામની સાથે ભગવાન કૃષ્ણ અને હનુમાનજી પણ જોવા મળ્યા હતા.
આપને જણાવી દઈએ કે, કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રામનવમી તહેવાર નિમિત્તે ભગવાન રામને કોરોના ચેપ અંગે જાગૃતિ ફેલાવવા માટે શેરીઓમાં ઉતરવું પડ્યું હતું. ‘ભગવાન રામ’ ની સાથે, ‘ભગવાન શ્રીકૃષ્ણ’ અને ‘હનુમાન’ પણ લોકો માસ્ક સાથે સામાજિક અંતરને અનુસરવાનો સંદેશ આપતા જોવા મળ્યા હતા.
બેંગલુરુની એક હોટલમાં કામ કરતા અભિષેક, નવીન અને બાશાએ રામનવમીના દિવસે લોકોને જાગૃત કરવા માટે એક અનોખો વિચાર આવ્યો.
ત્રણેય સાથીઓએ ભગવાન રામ, કૃષ્ણ અને હનુમાનનો પોશાક પહેર્યા હતા અને લોકોની વચ્ચે નીકળી ગયા હતા. તેમણે તેમની સાથે માસ્ક પણ લીધા અને માસ્ક પહેર્યા વિના લોકોને માસ્ક ફેરવ્યા પણ હતા.
ભગવાન રામ, કૃષ્ણ અને હનુમાનના વેશમાં ત્રણ વ્યક્તિઓ હાથમાં ધનુષ, માથા પર મુગટ અને મોઢા પર માસ્ક પહેરીને નીકળેલા ત્રણેય ભગવાન રસ્તાથી લઈને બસ સ્ટોપ અને દુકાનોમાં ફર્યા હતા અને લોકોને જાગૃત કર્યા હતા.