@રવિ નિમાવત, મંતવ્ય ન્યૂઝ – મોરબી
રાજ્યમાં જ્યા કોરોના મહામારીએ લોકોની કમર તોડી દીધી છે. ત્યારે આ કપરા સમયે પણ અમુક લોકો પોતાની બદમાશીથી દૂર રહી શકતા નથી. બનાવની મળતી વિગત મુજબ મોરબી જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાની dysp રાધીકા ભારાઇની મોરબી સૂચનાથી વિભાગ તથા સી.પી.આઇ એચ.એન.રાઠોડનાં માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતુ.
કોરોનાની અસર: કોરોનાનાં કારણે કચ્છનાં નાના રણમાં અભયારણ્યની આવક અને પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો
જે અનુસંધાને ટંકારા પોલીસ સ્ટેશન છેતરપિંડીનાં ગુનામાં સાત માસથી નાસતો ફરતો આરોપી વાલાભાઈ ધનજીભાઈ મકવાણા રહે બોટાદ, લતીપર ચોકડી પાસેથી પસાર થવાનો હોય તેવી બાતમી ટંકારા પોલીસને મળતા ત્યાં ચેક કરતા આરોપી વાલજીભાઇ ધનાભાઇ મકવાણા મળી આવતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં ટંકારા પોલીસનાં એન.જે,નિમાવત, વિજયભાઇ નાગજીભાઇ બાર, કિશોરદાન ગંભીરદાન ગઢવી સહિતની ટીમે કામગીરી કરેલી હતી.