અમદાવાદમાં એક સનસનાટીભર્યા ઘટના સામે આવી છે. અહીં શુક્રવારે રાત્રે કેટલાક લોકોએ એક પોલીસ કર્મચારીને નિર્દયતાથી માર માર્યો હતો, એટલું જ નહીં, પોલીસ કર્મચારીઓ પાસેથી મોબાઇલ, આઇ-કાર્ડ સહિત રોકડ લૂંટી તસ્કરો ભાગી ગયા હતા. આ ઘટનામાં ઘાયલ પોલીસ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :હું રાજકારણમાં સક્રિય જ રહેવાનો છું, ભાજપની જીત માટે કરીશ મહેનત : વજુભાઇ વાળા
મળતી માહિતી મુજબ શાહીબાગ હેડ કવાર્ટરમાં એફ -2 માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રાહુલ ઇશ્વરભાઇ ડોડીવાડિયા (ઉ.વ.33) ચાંદખેડાના ભુલાભાઇ પાર્ક વિભાગ -1 માનસરોવર રોડ ખાતે રહે છે. શુક્રવારે રાત્રે ફરજ બજાવી તે ઘરે પરત ફરી રહ્યા હોવાની ફરિયાદ તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તેઓ માનસરોવર પાણીની ટાંકી પાસે પહોંચ્યા તે, દરમિયાન એક વ્યક્તિ તેમની પાસે આવ્યો હતો અને ગેરવર્તન શરૂ કર્યું હતું. અન્ય ત્રણ યુવકો પણ ત્યાં આવ્યા હતા.
તે અહીંથી કેમ જાવ છો એમ કહીને ચારેય યુવકોએ તેને નિર્દયતાથી માર મારવાનું શરૂ કર્યું હતું. તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક યુવકે તેને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી. આ પછી ચારેય યુવકોએ તેમનો મોબાઇલ ફોન અને રોકડ અને પોલીસનું આઈકાર્ડ લૂંટીને નાસી છૂટયો હતો.
આ પણ વાંચો :ગુજરાતમાં ડેલ્ટા, ડેલ્ટા+ બાદ હવે કપ્પા વેરિયન્ટની એન્ટ્રી, નોંધાયા આટલા કેસ
ચાંદખેડા પોલીસે જણાવ્યું હતું કે ઘટના બાદ પોલીસ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે. બીજી તરફ પોલીસે ફરાર આરોપીને પકડવા દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :આમોદ નજીક ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં પિતા-પુત્રનું મોત