તમિલ સુપરસ્ટાર રજનીકાંત અભિનીત ફિલ્મ ‘અન્નાત્થે’નું પહેલું ગીત રિલીઝ થયું છે. આ ગીત દિવંગત એસપી બાલાસુબ્રમણ્યમ દ્વારા ગાવામાં આવ્યું છે. પ્રોડક્શન હાઉસ, સન પિક્ચર્સે વીડિયો જાહેર કર્યો અને સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી. પ્રોડક્શન હાઉસે સોશિયલ મીડિયા પર લખ્યું, ” અન્નાત્થેઅન્નાત્થે” અન્નાત્થેનું પહેલું સિંગલ રિલીઝ થયું છે.”
આ ગીત ડી ઇમ્માને પોતાની ધૂન પર કંપોઝ કર્યું છે, ગીત વિવેકાના છે અને ફિલ્મ 4 નવેમ્બરે રિલીઝ થવાની છે. જેનું નિર્દેશન શિવ દ્વારા કરવામાં આવ્યું છે. આ ગીત બાલાસુબ્રમણ્યમે ગાયું છે.
આ પણ વાંચો :ક્રુઝના CEOને NCB એ મોકલ્યું સમન્સ, આર્યન ખાને પણ કરી આ કબૂલાત
એક ટ્વિટમાં રજનીકાંતે SPB ને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે ગાયક તેમના મધુર અવાજ દ્વારા જીવંત રહેશે. તેમણે કહ્યું કે, SPB 45 વર્ષ સુધી મારો અવાજ રહ્યા છે.
રજનીકાંતે કહ્યું કે, આજે રિલીઝ થયેલા ગીતના રેકોર્ડિંગ દરમિયાન, તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે તેમના માટે પ્રખ્યાત ગાયક દ્વારા ગાયેલું છેલ્લું ગીત હશે.
આ પણ વાંચો :આર્યન ખાનની ધરપકડ પર ભડક્યો મિકા સિંહ, કહ્યું – આટલા મોટા ક્રુઝમાં માત્ર….
આપને જણાવી દઈએ કે પીઢ ગાયક બાલાસુબ્રમણ્યમ, જેમણે દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ અને બોલિવૂડમાં તેમના અલગ અવાજથી નામ અને ખ્યાતિ મેળવી હતી, તેમનું ગયા વર્ષે 25 સપ્ટેમ્બરે કોરોના વાયરસ સંબંધિત રોગોને કારણે અવસાન થયું હતું. તેમની 50 વર્ષની લાંબી કારકિર્દીમાં, બાલાસુબ્રમણ્યમે 40 હજારથી વધુ ગીતો ગાયા હતા. તેમણે આ ગીતો તમિલ, હિન્દી, તેલુગુ, કન્નડ, મલયાલમ ભાષાઓમાં ગાયા હતા.
અત્યારે જો આપણે રજનીકાંતની ફિલ્મ અન્નાત્થેની વાત કરીએ તો આ ફિલ્મ દિવાળીના અવસર પર આ વર્ષે 4 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. રજનીકાંત ઉપરાંત પ્રકાશ રાજ, નયનતારા, કીર્તિ સુરેશ, જેકી શ્રોફ, ખુશ્બુ, મીના, જગપતિ બાબુ જેવા ઘણા સ્ટાર્સ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. દર્શકો આતુરતાથી રજનીકાંતની આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો :અનુપમ ખેરે શરુ કર્યું તેની 520 મી ફિલ્મનું શૂટિંગ, ઉચાઈ માટે ફરી મળાવ્યો રાજશ્રી ફિલ્મ્સ સાથે હાથ