આજે મોટા ભાગના લોકોના ઘરમાં બટાકાનો વધુ ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે . આ ઉપરાંત બટાકાને આયુર્વેદમાં નુકસાનકારક ગણીએ છીએ. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જોકે, લોકો તેના વિશે બહુ ઓછા જાણે છે. બટાકાની કોઈ રેસિપી કે બટાકાનો રસ પીવો, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ જ્યારે આપણે આ ખોરાકને વધુ લઈએ કે આદત બનાવી દઈએ છીએ ત્યારે આપણને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કારણ કે કોઈપણ વસ્તુનો અતિરેક હંમેશા જોખમી હોય છે.
બટેટાએવિટામિન બી અને સી, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ અને કોપરથી ભરપૂર છે અને અન્ય સ્વાસ્થ્ય લાભો સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પીણું સાબિત થાય છે.
બટાકાનો રસ કેવી રીતે બનાવવો?
4 મધ્યમ કદના બટાકાની છાલ કાઢી, નાના નાના પીસમાં કાપો. હવે તેને જ્યુસરમાં નાખો અને તાજો રસ કાઢી લો. બસ હવે તાજો જ રસ પીરસો. કોઈપણ સ્વાદ વિના આ રસને કાચું પીવાની ભલામણ કરવામાં આવે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
આ વિટામિન C થી સમૃદ્ધ છે, જે શરદી અને ચેપ સામે લડવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાલી પેટે એક ગ્લાસ બટાકાનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે.
સંધિવાની સારવાર કરે છે
બટાકાનો રસ તેના બળતરા વિરોધી ગુણધર્મો માટે જાણીતો છે જે સંધિવા અને અન્ય સાંધા સંબંધિત સમસ્યાઓની સારવારમાં મદદ કરે છે. નિષ્ણાતોના મતે બટાકાના ટુકડાને દુખાવાની જગ્યા પર લગાવવાથી પણ ફાયદો થાય છે.
અલ્સરમાં રાહત આપે છે
બટાકાનો રસ જઠરાંત્રિય સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે પણ જાણીતો છે અને નિષ્ણાતોના મતે, સવારે નિયમિતપણે બટાકાના રસનું સેવન કરવાથી અલ્સરની સારવારમાં મદદ મળે છે.
લીવર માટે સારું
તે ડિટોક્સ ડ્રિંક તરીકે પણ કામ કરે છે જે લીવર અને પિત્તાશયને સાફ કરે છે. અભ્યાસ મુજબ, જાપાનમાં બટાકાના રસનો ઉપયોગ હેપેટાઇટિસની સારવાર માટે પણ થાય છે.
કોલેસ્ટ્રોલ ઘટાડે છે
બટાકાના રસમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને વિટામિન એ, બી-કોમ્પ્લેક્સ અને સી હોય છે. નિષ્ણાતોના મતે, આ પોષક તત્વો મળીને શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે અને શરીરને ઊર્જાવાન રાખે છે.
કબજિયાતમાં રાહત આપે છે
તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સાફ કરવામાં મદદ કરે છે અને કબજિયાતની સારવારમાં પણ મદદરૂપ થાય છે.
કેન્સરનું જોખમ ઘટાડે છે
2016ના એક અભ્યાસ અનુસાર, બટાકાનું નિયમિત સેવન કેન્સરના કોષોના વિકાસને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેમાં ગ્લાયકોઆલ્કલોઇડ્સ નામનું રાસાયણિક સંયોજન હોય છે, જે એન્ટિ-ટ્યુમર ગુણધર્મો ધરાવે છે અને કેન્સરની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે.