સલમાન ખાન પોતાના જન્મદિનના એક દિવસ પહેલા મોટી આફતમાંથી હેમખેમ પાર નીકળ્યો છે. અભિનેતાને સાપ કરડી ગયો હતો. જો કે સલમાન ખાનને કોઈ નુકસાન થયું નહીં. આ પહેલા પણ અભિનેતા તેના પર આવનારી તમામ મુસીબતોમાંથી હેમખેમ પાર ઉતર્યો છે. હવે આ કોઈ ચમત્કાર છે કે પછી કોઈની દુઆ એ તો ખબર નથી પરંતુ દરેક વખતે સલમાન ખાનના હાથમાં એક ખાસ બ્રેસલેટ ચોક્કસપણે જોવા મળેલુ છે.
સલમાન ખાન આ બ્રેસલેટ વગર ભાગ્યે જ જોવા મળે છે. તેણે એકવાર તેના એક ફેનને આ બ્રેસલેટની ખાસિયત વિશે જણાવ્યું હતું. સલમાન ખાને કહ્યું હતું કે ‘મારા પપ્પા તે પહેરતા હતા. તે સમયે હું આ બ્રેસલેટ સાથે રમતો હતો. પછી જ્યારે કામ કરવા લાગ્યો તો તેમણે મને પણ બિલકુલ એવું જ બ્રેસલેટ અપાવ્યું. આ પથ્થરને ફિરોઝા કહે છે.’
તેના બ્રેસલેટ પરના ફિરોઝાને બે પ્રકારના ‘જીવંત પથ્થરો’ પૈકીના એક તરીકે વર્ણવતા કહ્યું કે આનાથી શું થાય છે કે જો તમારા પર કોઈ નકારાત્મકતા આવે છે, તો પ્રથમ, તે તેને લે છે, તે તેનામાં નસો મેળવે છે અને પછી તે તિરાડો આ મારો સાતમો પથ્થર છે.સલમાને તેના પનવેલ ફાર્મહાઉસમાં તેનો 56મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના જન્મદિવસના થોડા સમય પહેલા, અભિનેતાને બિન-ઝેરી સાપે ડંખ માર્યો હતો અને તેને થોડા કલાકો માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.